
કલમ-૨૨૨ ની પેટા કલમ (૨) હેઠળ શરૂ કરાયેલ કેસોની કાયૅરીતિ
(૧) કલમ-૨૨૨ ની પેટા કલમ (૨) હેઠળ ગુનાની ઇન્સાફી કાર્યવાહી શરૂ કરનાર સેશન્સ ન્યાયાલયે મેજિસ્ટ્રેટના ન્યાયાલય સમક્ષ પોલીસ રિપોર્ટ ઉપરથી હોય તે સિવાયની રીતે શરૂ થયેલ વોરંટ કેસોની ઇન્સાફી કાયૅવાહી માટેની કાયૅરીતિ અનુસાર કેસની ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇશે. પરંતુ સેશન્સ ન્યાયાલય કારણોની લેખિત નોંધ કરીને બીજી રીતે ફરમાવે નહી તો જેની વિરૂધ્ધ ગુનો થયો હોવાનું કહેવાતું હોય તે વ્યકિતની ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે જુબાની લેવી જોઇશે.
(૨) આ કલમ હેઠળની દરેક ઇન્સાફી કાયૅવાહી તેના કોઇ પક્ષકાર ઇચ્છે તો અથવા સેશન્સ ન્યાયાલયને એમ કરવું યોગ્ય લાગે તો બંધ બારણે કરવી જોઇશે.
(૩) આવા કેસમાં ન્યાયાલય તમામ કે કોઇ આરોપીને છોડી મૂકે કે નિદીષ ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે તેમની કે તેમાંના કોઇ સામેનો આરોપ મૂકવા માટે વાજબી કારણ ન હતું તો તે ન્યાયાલયે પોતાના છોડી મૂકવાના કે નિદર્દોષ ઠરાવવાના હુકમથી (રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અથવા કોઇ રાજયના રાજયપાલ કે સંઘ પ્રદેશના વહીવટકતૅ | સિવાયની) જે વ્યકિત વિરૂધ્ધ ગુનો થયાનું કહેવાતું હોય તેને એવા આરોપીને અથવા એક કરતા વધારે આરોપીઓ હોય ત્યારે દરેકને અથવા તે પૈકી કોઇને તેણે શા માટે વળતર ન આપવું જોઇએ તેનુ કારણ દર્શાવવા આદેશ આપી શકશે.
(૪) ન્યાયાલયે એ રીતે જેને આદેશ આપ્યો હોય તે વ્યકીત દશૅ શ્વે તે કારણોની લેખીત નોંધ કરીને તે ધ્યાને લેવું જોઇશે અને તેને એમ ખાતરી થાય કે આરોપ મૂકવા માટે કોઇ વ્યાજબી કારણ ન હતુ તો કારણોની લેખિત નોંધ કરીને વધુમાં વધુ એક હજાર રૂપિયા સુધીનું પોતે નકકી કરે તેટલુ વળતર તે વ્યકિતએ આરોપીઓને અથવા દરેક આરોપીને કે તે પૈકી કોઇને આપવું આવે તે હુકમ કરી શકશે.
(૫) પેટા કલમ (૪) હેઠળ અપાયેલું વળતર મેજિસ્ટ્રેટે કરેલા દંડની માફક વસૂલ કરી શકશે
(૬) પેટા કલમ (૪) હેઠળ વળતર આપવાનો જેને આદેશ આપ્યો હોય તે વ્યકિત તે હુકમના કારણે આ કલમ હેઠળ કરેલી ફરીયાદ અંગે દીવાની કે ફોજદારી જવાબદારીઓમાંથી મુકત થશે નહી
પરંતુ આ કલમ હેઠળ આરોપીને અપાયેલી રકમ તે જ બાબત સબંધી ત્યાર પછીના કોઇ દીવાની દાવામાં તે વ્યકિતને વળતર આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે.
(૭) જેને પેટા કલમ વ(૪) હેઠળ વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત તે હુકમ વળતરની રકમ આપવા સબંધી હોય તેટલા પૂરતી તેના ઉપર ન્યાયાલયને અપીલ કરી શકશે.
(૮) આરોપીને વળતરની રકમ આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે અપીલ કરવા માટેની મુદત પૂરી થયા પહેલા અથવા અપીલ થઇ હોય તો તેનો નિણૅય થતાં પહેલા તેને વળતર ચુકવવામાં આવશે નહી.
Copyright©2023 - HelpLaw